#અનામત આંદોલન થી આંદોલનની આફત સુધી
સસ્તા સ્માર્ટફોન, સસ્તા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે જાતિ આધારે 'ભારતના ભાગલા' પડવાની આ શરૂઆત છે.
એક વખત કોમ આધારિત ભારતના ભાગલા પડી ચૂક્યા છે, પરિણામ સૌની સામે છે. આજ સુધી તેનો કોઇ ઉકેલ કોઇ માઇનોલાલ લાવી શક્યો નથી અને લાવી શકશે પણ નહી. આતંકવાદ સહન કરી રહ્યા છીએ, શહીદ થઇ રહ્યા છીએ..
હજુ કેટલા ભાગલા પાડીશું? અત્યારે દરેક સમાજે આ વિશે ગંભીરતાથી વિચાર્યું નહી તો ભવિષ્યનું ભારત કેવું હશે, તેની કલ્પના કરી જોજો..
હજુ કેટલા ભાગલા પાડીશું? અત્યારે દરેક સમાજે આ વિશે ગંભીરતાથી વિચાર્યું નહી તો ભવિષ્યનું ભારત કેવું હશે, તેની કલ્પના કરી જોજો..
જરૂરી છે ભારત એક થાય, એક એવી વ્યવસ્થા ઊભી થાય જેમાં કોઈ પણ સમાજનું અનામત છીનવ્યા વિના, ભારતના દરેક સમાજને અનામત મળે, પણ તેના દરેક પરિવારને નહી.. દરેક સમાજ પોતે એવા પરિવારોને સામે લાવે, જેમને ખરેખર શિક્ષણ અને રોજગારમાં અનામતની જરુર છે. કોઈનું પણ અનામત છીનવ્યા વિના, દરેક સમાજના આર્થિક રીતે નબળા પરિવારને અનામત કેમ ન આપી શકીએ? જ્યાં સુધી આર્થિક રીતે નબળો કોઇ પરિવાર સદ્ધર ન થાય, ત્યાં સુધી તેને અનામત મળે. એ સદ્ધરતાની વ્યાખ્યા પણ દરેક સમાજ પોતે નક્કી કરે. શું આવું થઇ શકે?
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 77
No comments:
Post a Comment