'કા તું અંદર આવ, કા મને બહાર કાઢ'
જે ભગવાને માણસો બનાવ્યા, એ માણસો ભગવાનને બનાવા નિકળ્યા છે.. આજે સમય એવો છે, જ્યારે માણસોએ બનાવેલી ભગવાનની મૂર્તિઓ કરતા ભગવાને બનાવેલા માણસોને મદદની વધારે જરૂર છે. ભગવાનને મંદિરોમાં નહીં, માણસોના દિલમાં રહેવું ગમે છે. આખી શ્રીમદ ભગવદ ગીતાનો આ પણ એક સાર છે.
ભારતમાં અત્યારે જેટલાં મંદિરો છે એટલાં મંદિરોમાં પણ જો બેઘર લોકોને રહેવા આસરો મળી જાય તો દેશની અડધોઅડધ આબાદીની રહેવાની સમસ્યા આપોઆપ હલ થઇ જાય અને ગરીબી-ઝૂંપડાં પણ દૂર થઇ જાય. ભગવાન પણ આજે મંદિરમાં એકલો બેઠો વિચારતો હશે, 'જે માણસોને મેં બનાવ્યા, આજે એ મને બનાવી રહ્યા છે, સોના-ચાંદીથી મઢેલા આ આલિશાન મહેલોમાં મને એકલો પુરીને પોતે બહાર ભટકી રહ્યા છે.' આપણે ગામે-ગામે મંદિરો તો બનાવી લીધા, પણ બેઘર લોકો માટે એક આસરો નથી ઊભો કરી શકતા. એ મંદિરોને સોના-ચાંદીથી પણ મઢાવી લીધા, દાન-દક્ષિણાઓથી એના ભંડારા ભરી દીધા, પણ ભૂખ્યા લોકોનું પેટ નથી ભરી શક્તા. એટલે જે ભગવાને માણસોને બનાવ્યા છે, માણસ થઇને હવે એ ભગવાનને બનાવવાનું બંધ કરીએ તો સારું.
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 75


No comments:
Post a Comment