આર્ટીકલ અને પોસ્ટ :-

Tuesday, 5 March 2013

ઈન માય પૉઇન્ટ ઑફ વ્યૂઃ

ઈન માય પૉઇન્ટ ઑફ વ્યૂઃ 1) મા સીતા જેવી પત્ની ત્યારે મળે, જ્યારે આપણે મર્યાદા પુરષોત્તમ રામ જેવા બનીએ..

2) જીવન જેવું છે, જેવું ચાલે છે તેવું ઘણાં લોકો સ્વિકારતા નથી.. ઉદાહરણ તરીકેઃ ફેસબુક યુઝર તેનો કોઈ ફોટો પોસ્ટ કરે, મિત્રો તેને લાઇક કરે, કોઈક કમેન્ટ કરે, કોઈંકને વધારે ગમી જાય તો શેર કરે, તો આ બધુ નોર્મલ લાઇફ છે, ઘણાં લોકોને આ બધું નાટક અને ટાઇમનો દુરુપયોગ કર્યા જેવું લાગે છે..( તે લોકોએ આ બધુ વિચારવા પાછળ પણ પોતાનો ટાઇમ વેસ્ટ કર્યો કે કરે છે) દરેક બાબતમાં બીજાથી પોતાને જૂદા પાડવા, ઓવર સ્માર્ટ સમજવા, 'હું' પણાની નીશાની છે..


પોતાને દૂનિયાની સામે મૂકો એ સારી વાત છે પણ દુનિયા પર પોતાને થોપી દો.. કે હું જ સારી કે સારો.. તો તે આંપણા વિકાસમાં એક અવરોધ છે.. આંપણે જેવા છીએ, તેવા દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ, એક દિવસ આપણને પણ આખી દુનિયા ઓળખશે.. :)

3) શોર્ટ ટાઇમમાં પૈસા કમાવા કે પૈસા પાછળ ભાગવું ખોટું છે, વૉરેન બફેટ કે બિલ ગેટ્સને આપણે તેમની 'મિલકત'થી નથી ઓળખતા કે વૉરેન બફેટ 'XYZ' મિલકતના માલિક છે, બિલ ગેટ્સ 'XYZ'.. પણ એ રીતે ઓળખીયે છીએ કે વૉરેન બફેટ કે બિલ ગેટ્સ પાસે XYZ જેટલી મિલકત છે.. એટલે કે અહીં મિલકત નહીં પણ નામ વધારે મહત્વનું છે. પૈસા કમાવા કરતા નામ કમાવું વધારે સારું.. નામ કમાઈશું તો પૈસો આપમેળે આવશે.. + આપણને બે વ્યક્તિ ઓળખશે :)

4)
કોઈ આપણને પસંદ કરે, તો તેને પામવા માટે આપણે, તેને ગમે તેવા બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, તે આપણને પસંદ કરે છે એટલા માટે જ કે આપણે જેવા છીએ તેવા તેને ગમીએ છીએ અને એટલે જ તે આપણી પાસે છે.. (યશ ચોપરાની ફિલ્મ મહોબ્બતેનો ડાયલોગ, "કોઈ પ્યાર કરે તો તુમશે કરે, તુમ જૈશે હો, વૈશે કરે" એ અહીં યાદ કરવા જેવો છે)

5)
ઉપરની 4 બાબતોને જો આપણે સ્વીકારીએ, સમજીએ અને સુધારીએ, એ પણ જીવનમાં એક સાહસિક પગલું ભર્યું તેવી વાત છે.. :)


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 39

No comments:

Post a Comment